Friday, June 13, 2008

ભક્તિ કેરી કાકલૂદી સ્વાર્થ કેરા જાપ બંધ,
શંખનાદો,ઝાલરો ને બાંગના આલાપ બંધ્,
મેં જરા મોતેથી પ્રશ્ન પૂછ્યો કે હું કોણ છું,
થૈ ગયા ધર્માલયોના દ્વાર આપોઆપ બંધ.
-શૂન્ય

સત્ય સ્વયં શંકાથી ખેલે,
ઘોર અંધારૂ સો મણ તેલે,
માંડ ઇશ્વરની પોલ જડી છે,
કોણ હવે ભીનું સંકેલે.
-શૂન્ય

ક્યાં જરૂરત કૈ હતી કોઇ ખુદાની આપણે ?
આપણું જો મન ગીતા કુરાન જેવું હોત તો ?
- અલ્પેશ 'પાગલ'

सदियोसे हमने आजतक बदला नही खुदा,
हम लोग भी है कितने पुराने खयालके
- खलील धनतेजवी

No comments: